
કથન કોઇ વાતચીતનો દસ્તાવેજનો ઇલેકટ્રોનિક રેકોડૅનો પુસ્તકોનો અથવા પત્રો કે લેખોની શ્રેણીનો ભાગ હોય ત્યારે શું પુરાવો આપવો જોઇએ
જેનો પુરાવો આપવામાં આવતો હોય એવુ કોઇપણ કથન તેનાં કરતા બીજા કોઇ વિસ્તૃત કથનનો અથવા કોઇ વાતચીતનો અથવા કોઇ અલાયદા દસ્તાવેજનો ભાગ હોય અથવા સદરહુ કથન કોઇ પુસ્તકનો ભાગ હોય અથવા ઇલેકટ્રોનિક રેકોડૅ અથવા પત્રો કે લેખોની એક કડીબધ્ધ શ્રેણીના ભાગરૂપે આવતું હોય ત્યારે તે કથનના પ્રકાર અને અસર અને જેના ઉપરથી તે કરવામાં આવ્યું હોય તે સંજોગો પુરી રીતે સમજવા માટે સદરહુ કથનના વાતચીતના દસ્તાવેજનાં ઇલેક્ટ્રોનિક રેકોર્ડેના પુસ્તકના અથવા પત્રો કે લેખોની શ્રેણીના જેટલા ભાગનો પુરાવો તે ખાસ કેસમાં ન્યાયાલયને જરૂરી લાગે તેથી વધુ નહિ પણ તેટલા જ ભાગનો પુરાવો આપી શકાશે. ઉદ્દેશ્ય અને ટિપ્પણી: આ કલમમાં જે કથન પુરાવામાં આપવાનું છે તે કોઇ વિસ્તુત કથનના ભાગરૂપે કે વાતચીતનો કોઇ અંશ કોઇ દસ્તાવેજનો ભાગ કે કોઇ પુસ્તકના ભાગરૂપનો હોય કે કોઇ પત્રો કે લેખોની શૃંખલાનો ભાગ હોય કે ઇલેકટ્રોનીક રેકડૅનો ભાગ હોય તેટલા જ કથનો ભાગ રજૂ કરવાનો થાય છે જેથી તેની અસર અને પ્રકાર અને આ કથન કયાં સંજોગોમાં કરવામાં આવ્યુ છે તેની પૂરી સમજ કોટૅને થઇ શકે આખાયે પુસ્તકમાંનો અમુક જ ભાગ કે પાનું કોટૅ આગળ જે વિવાદ ચાલતો હોય તેટલો જ ભાગ વિવાદને લગતો હોય તો આખુંયે પુસ્તકને સાબિત કરવાનુ રહેતુ નથી પરંતુ કથનનો તેટલો જ ભાગ સાબિત કરવાન રહે છે આવી જ રીતે વિસ્તૃત કથન કે વાતચીત કે પત્રો કે લેખોની શૃંખલાના ભાગ હોય તેટલુ જ કથન પુરવામાં લેવામાં આવે છે. આ કથન જે પુરાવામાં લેવામાં આવેલુ હોય તેની અસર અને પ્રકાર અને કયા સંજોગોમાં કરવામાં આવયું છે તે કોર્ટની પૂરી સમજણ માટે પૂરતુ હોવું જરૂરી છે. કથન સિવાય પુસ્તક કે વાતચીત કે અલગ દસ્તાવેજ વગેરે કોર્ટ સમક્ષ વાદગ્રસ્ત પુરાવાને કોઉં લાગતું વળગતું ન હોઇ આવા પુરી પુસ્તક કે પુરી વાતચીત વગેરે પુરાવા માટે બિન ઉપયોગી હોઇ તેમને પુરાવામાં લેવા યોગ્ય રહેતા નથી.
Copyright©2023 - HelpLaw